સવિશેષ પરિચય: ઇન્દુલાલ યાજ્ઞિક
સવિશેષ પરિચય: ઇન્દુલાલ યાજ્ઞિક યાજ્ઞિક ઇન્દુલાલ કનૈયાલાલ, ‘પામદત્ત’, ‘સમાજશાસ્ત્રી’ (૨૨-૨-૧૮૯૨, ૧૭-૭-૧૯૭૨) : આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર. જન્મ વતન નડિયાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ત્યાં જ. ૧૯૦૬માં મૅટ્રિક. ૧૯૧૦માં પદાર્થવિજ્ઞાન-રસાયણશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૧૨માં એલએલ.બી. ૧૯૧૩ થી ૧૯૧૫ સુધી વકીલાત. તે દરમિયાન ‘હિંદુસ્તાન’ દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત. ૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય. ‘નવજીવન અને સત્ય’ માસિકના તંત્રી. ૧૯૨૨માં ‘યુગધર્મ’ની શરૂઆત. દેશસેવાનું કામ છોડી થોડા વખત ફિલ્મક્ષેત્રમાં. ‘પાવાગઢનું પતન’ ફિલ્મ ઉતારી. બીજી ફિલ્મ ઉતારવાનો પ્રયત્ન અધૂરો છોડ્યો. ૧૯૩૦ થી ૧૯૩૫ સુધી વિદેશમાં. ૧૯૩૬માં ભારત પાછા આવી વિવિધ રાજ્કીય આંદલનોમાં સક્રિય. ૧૯૪૨માં ‘નૂતન ગુજરાત’ના તંત્રી. ૧૯૪૪માં નેનપુરમાં આશ્રમ ખોલી રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી મહાગુજરાત આંદોલનના સેનાની. ઘણાં વર્ષ સુધી લોકસભાના સભ્ય. અમદાવાદમાં અવસાન. ‘જીવનવિકાસ’ ‘ગુજરાતમાં નવજીવન’, ‘કારાવાસ’, ‘જીવ...